For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં ઇજાગ્રસ્ત નીલગાયનું રેસ્ક્યુ કરાયું

06:44 PM Mar 01, 2024 IST | Bhumika
ખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં ઇજાગ્રસ્ત નીલગાયનું રેસ્ક્યુ કરાયું

Advertisement

ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની તળાવ પાસે એક નીલ ગાયનું સફળ રેસ્કયુ કરાયું હતું.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે આવેલા તળાવ પાસે એક નીલ ગાય ગંભીર હાલતમાં જોવા મળી હતી. જેનું એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રેસક્યું કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માટે સંસ્થાના દેશુર ધમા, શિવમ આહીર, ફોરેસ્ટર વી.એસ. લગારીયા અને જી.એલ. ડામોર, વનરક્ષક ડી.એમ. ભરવાડ વિગેરે દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી, આ નીલ ગાયને અહીંની સેવા સંસ્થા અબોલ તીર્થ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement