ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયો

02:48 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં દોઢ વર્ષનો માસૂમ અને ચોટીલાના જીંજુડામાં 13 વર્ષની બાળા અકસ્માતે દાઝયા

Advertisement

કાલાવડના ખડધોરાજીમાં રહેતા પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના ખડધોરાજી ગામે રહેતાં અમીબેન લાલજીભાઈ દાફડા નામના 45 વર્ષના પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અન્ય બનાવમાં મોરબીમાં શોભેશ્ર્વર રોડ પર રહેતાં પરિવારનો શિવમ ગોવિંદભાઈ ગમારા (ઉ.દોઢ) અને ચોટીલાના જીંજુડા ગામે રહેતી સોનલબેન જયસુખભાઈ સારલા નામની 13 વર્ષની બાળા અકસ્માતે ગરમ પાણીના તપેલા માથે પડતાં દાઝી ગયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsKalavadKalavad newssuicide
Advertisement
Next Article
Advertisement