For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ ગુજરાતમાંથી આવ્યાની શંકા

12:03 PM Nov 14, 2025 IST | admin
દિલ્હી બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ ગુજરાતમાંથી આવ્યાની શંકા

રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને સંસ્થાઓ પણ તપાસ એજન્સીઓના રડારમાં

Advertisement

કાશ્મીરમાં 10ની અટકાયત, 500થી વધુ સ્થળોએ દરોડા, કાનપુરમાંથી ડોકટરની ધરપકડ

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ત્રાસવાદીઓએ કરેલા કાર બ્લાસ્ટમાં વપરાયેલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો આતંકીઓએ ગુજરાતમાંથી મેળવ્યાની શંકાના આધારે એજન્સીઓ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં રાસાયણીક ખાતરના વિક્રેતાઓ- વેપારીઓ એજન્સીઓની તપાસના રડારમાં આવ્યા છે.
બીજી તરફ ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકવાદી ડો.અહેમદ મોહિઉદિન સૈયદના હૈદરાબાદ સ્થિત નિવાસેથી ગુજરાત એટીએસ દ્વારા ઝેરી રસાયણ બનાવવા માટેનું એસિટોન કેમિકલ તેમજ ખતરનાક રાઇસિન કેમિકલનો જથ્થો કબજે કર્યો છે.વિસ્ફોટકના મૂળ સ્ત્રોતને ઓળખવા માટે ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કાશ્મીરમાં 13 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ અને દિલ્હી વિસ્ફોટના સંબંધમાં અન્ય એક ડોક્ટર સહિત આશરે 10 લોકોની અટકાયત કરી હતી.

Advertisement

જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાજ્ય કટ્ટરપંથી નેટવર્ક સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે.
છેલ્લા બે અઠવાડિયામાં, પોલીસે કેન્દ્રશાસિત પ્રદેશમાં 500 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. બડગામ, અનંતનાગ, પુલવામા અને કુલગામ જિલ્લામાંથી રાતોરાત દરોડા દરમિયાન અટકાયત કરાયેલા શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, બડગામથી અન્ય એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, અને દરોડા ચાલુ રહેશે. શંકાસ્પદોની તેમની તાજેતરની વિદેશ યાત્રા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ શંકાસ્પદોના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.

દરમિયાન, ઉત્તર પ્રદેશમાં આતંકવાદ વિરોધી ટુકડીએ કાનપુરના મેડિકલ વિદ્યાર્થી ડો. મોહમ્મદ આરિફની ધરપકડ કરી હતી. તે રાજ્ય સંચાલિત ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના DM (કાર્ડિયોલોજી) વિદ્યાર્થી છે.

અનંતનાગનો વતની આરિફ, ભૂતપૂર્વ GSVM પ્રોફેસર ડો. સઈદની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસા બાદ ATSના ધ્યાન પર આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલની તપાસના ભાગ રૂૂપે ડો. સઈદની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના દિવસે, આરિફ ડો. શાહીનના નેટવર્ક સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે ટેલિફોન સંપર્કમાં હતો, જેમાં તેનો ભાઈ પરવેઝ પણ સામેલ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement