For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધ

11:56 AM May 07, 2025 IST | Bhumika
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધ

વિવિધ શહેરો માટે ઉડાન ભરતી તમામ ફલાઈટ રદ કરાતા મુસાફરો પરેશાન, એરલાઈન્સ દ્વારા તાત્કાલિક હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Advertisement

કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે તેના જવાબમાં કરેલા ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓની લાશો ઢાળી દીધી છે.ત્યારે છંછેડાયેલું પાકિસ્તાન કંઇપણ અટકચાળો કરે તો તેનો જવાબ આપવા માટે પણ ભારતીય સેના તૈયાર છે. જેને લઇ સુરક્ષાના કારણોસર રાજકોટ સહીત ગુજરાતના ત્રણ એરપોર્ટ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે અને એરપોર્ટથી આવાગમન કરતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે.

રાજકોટ,જામનગર અને ભૂજ એરપોર્ટ પર ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડીંગ સુરક્ષાના કારણોસર બંદ કરાયું છે.જેના કારણે મુસાફરોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. કેટલાક મુસાફરોને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું કનેક્શન હોય તેવા મુસાફરોને ટેક્ષી કે ખાનગી વાહનોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડવા જવું પડ્યું હતું.
ભારતમાં શ્રીનગર સહિત 11 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટના આવાગમન બંધ કરી દેવામાં આવી છે. જેમાં જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, બિકાનેર, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ, જામનગર એરપોર્ટનો સમાવેશ થાય છે. હવાઈ મુસાફરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. અમૃતસર અને ચંડીગઢ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આવતી જતી કુલ 95 ફલાઈટ રદ થઈ છે. દિલ્હીથી દેશ-વિદેશ જતી 113 ફલાઈટ વિલંબિત થઈ છે.

Advertisement

ભારતે પાકિસ્તાનમાં ઘુસી કરેલી એરસ્ટ્રાઈક બાદ સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત એર ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ અને પંજાબની ઘણી ફ્લાઇટ્સ બપોરે 12 વાગ્યા સુધી રદ કરી છે. એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટની બધી ફ્લાઇટ્સ આગામી આદેશ સુધી રદ કરી દીધી હોવાની જાહેરાત કરી છે. એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દિલ્હી ડાયવર્ટ આવી રહી છે. આ અણધાર્યા વિક્ષેપને કારણે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 11 ફ્લાઈટ બે દિવસ માટે રદ કરવામાં આવેલી છે. આજે 7 મેની ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ 11 ફ્લાઈટ રદ કરવામાં આવી છે, જેને લીધે દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા 1500 તો અને રાજકોટથી હવાઈ ઉડાન ભરી જતા 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બે દિવસ ફ્લાઈટ રદ થતા 6500 થી વધૂ મુસાફરો હેરાનગતિમાં મુકાયા છે. આજે રાજકોટથી મુંબઈ જતી 5 ફ્લાઇટ, દિલ્હી અને પુણેની 2 તો હૈદરાબાદ અને બેંગ્લોરની એક-એક ફ્લાઇટ કેન્સલ થઈ છે.

રાજકોટ સહીત ભારતમાં પેસેન્જર ફ્લાઈટ રદ થતા મુસાફરોને પડેલી મુશ્કેલી બાબતે એરલાઇન્સ કંપની દ્વારા ટ્વીટ કરી દિલગીરી વ્યક્ત કરી છે જેમાં ઇન્ડિગોએ કરેલા ટ્વીટમાં ક્ષેત્રમાં એરસ્પેસની સ્થિતિમાં ફેરફારને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, બિકાનેર અને ધર્મશાળા જતી અને આવતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે એરપોર્ટ પર જતા પહેલા તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસવા જણાવ્યું હતું.જયારે સ્પાઇસજેટે કરેલા ટ્વીટમાં ઓપરેશન સિંદૂરને કારણે, ઉત્તર ભારતના કેટલાક એરપોર્ટ જેમ કે ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર આગામી સૂચના સુધી બંધ કરવામાં આવ્યા છે. આ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાનના સમયને અસર થઈ શકે છે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમની મુસાફરીનું કાળજીપૂર્વક આયોજન કરે અને સ્પાઇસજેટની વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ ચેક કરવા જણાવ્યું છે.જયારે એર ઇન્ડિયાએ ટ્વીટમાં જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી બધી ફ્લાઇટ્સ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી વધુ માહિતી આપવામાં આવશે. અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. આ અચાનક થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોની સુવિધા માટે, હેલ્પલાઇન નંબર 011-69329333 / 011-69329999 જાહેર કર્યા છે.

આ મામલે એર ઇન્ડિયા એક્સપ્રેસે ટ્વીટમાં અમૃતસર, જમ્મુ, શ્રીનગર અને હિંડન આવતી અને જતી ફ્લાઇટ્સ 7 મેના બપોર સુધી રદ કરવામાં આવી છે. અસુવિધા બદલ અમને દુ:ખ છે. બધા મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે. ફ્લાઇટ સંબંધિત ચેતવણીઓ અને સૂચનાઓ માટે ટિયા સાથે ચેટ કરો: +91 63600 12345 તેમ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement