For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ AIના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી; 4ની હકાલપટ્ટી

01:35 PM Jun 28, 2025 IST | Bhumika
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ aiના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી  4ની હકાલપટ્ટી

Advertisement

ગુરૂગ્રામ ઓફિસમાં લુંગીડાન્સ ઉપર બેશરમીથી સ્ટાફ નાચ્યો

એર ઇન્ડિયાએ AISATS ના 4 વરિષ્ઠ અધિકારીઓને રાજીનામું આપવા કહ્યું છે. તે બધા અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી જ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. એર ઇન્ડિયાએ તેને અસંવેદનશીલ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. એર ઇન્ડિયાના એરપોર્ટ ગેટવે સેવા પ્રદાતા AISATS ના ચાર વરિષ્ઠ કર્મચારીઓને રાજીનામું આપવા કહેવામાં આવ્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આ અધિકારીઓ ઓફિસમાં લુંગીડાન્સ પાર્ટી કરી રહ્યા હતા. અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી જ AISATS ના ગુરુગ્રામ ઓફિસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 259 લોકો માર્યા ગયા હતા.
AISATS ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિમાન નંબર AI 171 ની દુ:ખદ ઘટનાથી પ્રભાવિત પરિવારો સાથે એકતામાં ઉભી છે. તેમણે આ વીડિયો પર ખેદ વ્યક્ત કર્યો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઉજવણી કરવાનો યોગ્ય સમય ન ગણાવ્યો હતો.

પ્રવક્તાએ કહ્યું કે આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી. જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. અમે સહાનુભૂતિ, વ્યાવસાયીકરણ અને જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરીએ છીએ. કંપનીએ જણાવ્યું હતું કે તેણે ચાર વરિષ્ઠ અધિકારીઓને છોડી દેવા કહ્યું છે અને ઘણા અન્ય લોકોને ચેતવણી આપી છે. AIજઅઝજ, એર ઇન્ડિયા લિમિટેડ, ટાટા ગ્રુપનો ભાગ છે. તે ગેટવે સેવાઓ અને ફૂડ સોલ્યુશન્સમાં જઅઝજ લિમિટેડ વચ્ચે 50-50 સંયુક્ત સાહસ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement