રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં બે પ્રેમિકાના આપઘાત બાદ તે જ સ્થળે બે પ્રેમીએ જીવ ટૂંકાવ્યો

12:08 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

શહેરના અલથાણ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કરી લીધો હતો. જે બાદ એજ જગ્યાએથી તેમના બે પ્રેમી યુવકોની પણ આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

સુરતના અલથાણ પોલીસ મથકમાં આજે સવારે પોલીસને જાણકારી મળી હતી કે, સુરતની મહાવીર કોલેજ નજીકની જાળીમાં બે યુવાનો ગળેફાસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા છે.ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્તરે દોડી જઈ આ મામલે તપાસ શરૂૂ કરી હતી. ત્યારે બે યુવકોના નામ નરેશ અને પુષ્પ હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યું હતું.

પોલીસે તપાસ શરૂૂ કરતા મરનાર બંને યુવકોની પ્રેમિકાએ આ જગ્યા પર બે દિવસ પહેલા જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરણ જનાર બંને યુવતીઓ બે યુવક સાથે પ્રેમ કરતી હતી અને પરિવારે લગ્નની ના પાડતા આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી છે. જોકે, પોતાની પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે જેને લઈને આવેશમાં આવેલા આ બંને પ્રેમીઓ દ્વારા યુવતીએ આપઘાત કર્યો હતો તે જ જગ્યા પર આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.જેને લઇને પોલીસે આ મામલે હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂૂ કરી છે. પહેલા પ્રેમિકાઓએ આપઘાત કરી લીધો હતો જેને લઈને આ યુવતીઓના બંને પ્રેમીઓએ પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Tags :
gujaratgujarat newssuicide casesuratsurat news
Advertisement
Next Article
Advertisement