For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનના કાર્યક્રમ બાદ વાવડીમાં કરોડોની જમીન ખુલ્લી કરવા મોટાપાયે ડિમોલિશન કરાશે

05:10 PM Feb 15, 2024 IST | Bhumika
વડાપ્રધાનના કાર્યક્રમ બાદ વાવડીમાં કરોડોની જમીન ખુલ્લી કરવા મોટાપાયે ડિમોલિશન કરાશે

રાજકોટ શહેરમાં સરકારી જમીન ઉપર ભુમાફીયાઓ દ્વારા દબાણ કરી બારોબાર જમીન પર કબજો કરી ઝુંપડા બાંધી વેચાણ કરી દેતાં હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે ત્યારે વાવડી નજીક આવેલી સરકારી જમીન પર મોટાપાયે દબાણ થયાનું તંત્રના ધ્યાન પર આવતાં વડાપ્રધાનના કાર્યક્રમ બાદ સરકારી જમીન પરનું દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

રાજકોટ શહેરમાં વિકાસએ વેગ પકડયો છે ત્યારે જમીનોનો ભાવ રાતોરાત આસમાને પહોચીં જતાં ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીન પર દબાણ કરી મોટાપાયે સરકારી જમીન પર કબજો કરી ઝુંપડા સહિતના મકાનો દુકાનો બનાવી બારોબાર વેચાણ શરૂ કરી દીધું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે. ત્યારે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ખાસ તમામ મામલતદારોને આદેશ આપ્યા છે.

રાજકોટ શહેરની ભાગોળે વાવડી નજીક આવેલી 4000 ચો.મી.સરકારી જમીનો પર રાતોરાત ભુમાફીયાઓએ દબાણ કરી ઝુંપડા, દુકાન, નોનવેજની દુકાન ખડકી દેવામાં આવી હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં તાલુકા મામલતદાર મકવાણાએ આ અંગે તપાસ કરાવી હતી. કરોડોની કિંમતની સરકારી જમીન પર ભુમાફીયાઓએ દબાણ કરી દુકાન, ઝુંપડા, અને મકાન બનાવી વેચાણ કરતાં હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં તાલુકા મામલતદારે 25 થી 30 જેટલા ઝુંપડા ધારકો, મકાન ધારકો અને ગેરેજ વાળાઓને આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. જેની સુનાવણી પૂર્ણ થઈ ગયા બાદ વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ગમે ત્યારે મોટાપાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું કલેકટર તંત્રનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement