For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂજારા પ્લોટમાં પ્રેમલગ્ન બાદ પતિએ માર મારતા પત્નીએ પિયરની વાટ પકડી

06:22 PM Feb 06, 2024 IST | Bhumika
પૂજારા પ્લોટમાં પ્રેમલગ્ન બાદ પતિએ માર મારતા પત્નીએ પિયરની વાટ પકડી

શહેરમાં પુજારા પ્લોટમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કરનાર દિલ્હીની પરિણીત પ્રેમિકાને પતિએ માર મારતા પરિણીતાએ પુત્ર સાથે દિલ્હીની વાટ પકડી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુજારા પ્લોટમાં રહેતી મિતુબેન ચિંતનભાઈ ઠાકર નામની 40 વર્ષની પરિણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતિ ચિંતન ઠાકરે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. મિતુબેન ઠાકરને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મિતુબેન ઠાકર અમદાવાદની એક હોટલમાં નોકરી કરતી હતી ત્યારે ચિંતન ઠાકર સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બાદમાં મિતુબેને દિલ્હી સ્થિત પતિને છૂટાછેડા આપી પોતાના પુત્ર સાથે રાજકોટમાં આવી ચિંતન ઠાકર સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

Advertisement

બાદમાં ગઈકાલે ચિંતન ઠાકરે દારૂૂના નશામાં માર મારતા મિતલબેન ઠાકરે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઇ દિલ્હી રહેતા માવતરે જવા રવાના થઈ હતી આ ઉપરાંત અન્ય કટારીયા ચોકડી પાસે આવેલા લક્ષ્મીના ઢોરે રહેતી શોભનાબેન અશોકભાઈ જોશી નામની 31 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પતિ અશોક જોષીએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો આ ઉપરાંત બીજા બનાવમાં હુડકો પાસે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રભુદાસ સુંદરજીભાઈ રાઠોડ નામના 62 વર્ષના વૃદ્ધએ સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે ગોપાલ અને હિરલ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. વૃદ્ધને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement