રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાંદરડા તળાવ પાસે સર્વિસ સ્ટેશનમાં સ્કૂટર ધોતા યુવકનું વીજશોકથી મોત

04:09 PM Mar 05, 2024 IST | admin
Advertisement

શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતો અને રાંદરડા તળાવ પાસે સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો યુવાન પોતાનું બાઈક સ્કૂટર ધોવા માટે ગયો હતો ત્યારે પોતાનું સર્વિસ સ્ટેશન બંધ હોવાથી બાજુમાં રહેલા સર્વિસ સ્ટેશનમાં પાણીની મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વિજશોક લાગતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં રહેતો સાહિલ રસુલભાઈ અજમેરી નામનો 32 વર્ષનો યુવાન રાંદરડા તળાવ પાસે હાઇવે ઉપર આવેલ વાહન સર્વિસ સ્ટેશનમાં પોતાનું સ્કૂટર થવા ગયો હતો ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતા વિજશોક લાગ્યો હતો.યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં સાહિલ અજમેરીને જે સર્વિસ સ્ટેશનમાં વિજશોક લાગ્યો તેની બાજુમાં આવેલા સર્વિસ સ્ટેશનમાં જ તે નોકરી કરતો હતો અને પોતાનું સ્કૂટર થવા માટે ગયો હતો ત્યારે પોતાનું સર્વિસ સ્ટેશન બંધ હોવાથી બાજુમાં રહેલા સર્વિસ સ્ટેશનમાં સ્કૂટર ધોવા માટે ગયો હતો પરંતુ ત્યાં કારીગર હાજર ન હોવાથી પોતાની જાતે સ્કૂટર ધોવા પાણીની મોટર ચાલુ કરવા જતા વિજશોક લાગતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નાકરાવાડી ગામે કચરાના પ્લાન્ટમાં કામ કરતા બબલુ નંદલાલ પાલ નામના 26 વર્ષના યુવકને રાત્રિના સમયે પ્લાન્ટમાં વીજ કરંટ લાગ્યો હતો યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement