For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત

01:26 PM Nov 18, 2025 IST | admin
મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત

લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા 21 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ઘૂટું લખધીરપુર રોડ પર આવેલ સનારીયા ગામ કંપનીમાં રહીને કામ કરતા મોહિતભાઈ રાજુભાઈ વર્મા (ઉ.વ.21) નામના યુવાને કોઈ કારણોસર પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રોહીશાળામાં ઝેરી દવા પી જતાં સગીરાનું મોત
રોહીશાળા ગામની સીમમાં આવેલ વાડીએ 16 વર્ષની સગીરા ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.મૂળ છોટા ઉદેપુર જીલ્લાના વતની હાલ માળિયા (મી.) તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા વાણસીબેન જેન્તીભાઈ નાયક (ઉ.વ.16) નામની સગીરા ગત તા. 04 ના રોજ બપોરે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ વધુ સારવાર અર્થે મોરબી ખસેડાઈ હતી મોરબી સારવાર દરમિયાન મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement