ગોંડલમાં પુલ પરથી અકસ્માતે ગબડેલા યુવાનનું આશાપુરા ડેમમાં ડૂબવાથી મોત
ગોંડલ નાં આશાપુરા ચોકડી નજીક રેલ્વેનાં પુલ પર થી નીચે પડી જતા શ્રમિક યુવાન નું ડુબી જવાથી મોત નીપજ્યું હતું.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે. પ્રાપ્ત વિગત મુજબ આણંદ જીલ્લાનાં ખંભાત તાલુકા નાં આનંદપુરા બામણીયા રહેતા અંબાલાલ કનુભાઈ સોલંકી ઉ.39 રાત્રીનાં આશાપુરા ચોકડી પાસે આવેલા રેલ્વેનાં પુલ પર થી પસાર થતી સમયે અકસ્માતે પડી જતા ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું.
અંબાલાલ ખંભાત થી ટ્રાન્સપોર્ટ નાં ટ્રક માં ક્લીનર તરીકે ગોંડલ ડુંગળી ભરવા આવ્યા હતા.ત્યારે ટ્રક ડ્રાઈવર તેના ભાઈ રાજુભાઇ તથા અંબાલાલ બન્ને આશાપુરા ચોકડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ ની ઓફીસે રાત્રીનાં સુતા હતા.દરમિયાન રાત્રે ઉંઘ નહી આવતા નજીકનાં મુખી પંપ પાસેની હોટલે ગયા હતા.ત્યાંથી રેલ્વેનાં પાટા પરથી પરત ફરતી સમયે પુલ નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું.
સવારે તેના ભાઈ રાજુભાઇ એ અંબાલાલ ની શોધખોળ કરી પોલીસ માં જાણ કરી હતી.દરમ્યાન તેનો મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. અંબાલાલ ને સંતાન માં બે દીકરીઓ અને એક દીકરો હોવાનું જાણવા મળેલ હતું. બનાવ અંગે બીથ ડીવીઝન પોલીસ સ્ટેશન નાં બાવકુભાઇ ખાચરે તપાસ હાથ ધરી છે.