ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો

05:12 PM Oct 31, 2025 IST | admin
Advertisement

પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત

Advertisement

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, આ યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ દુર્ઘટના બની હતી. મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જોખમી પ્રયાસ દરમિયાન, તે અંદાજે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમ તાત્કાલિક ગિરનાર પર્વત પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરશે.

 

Tags :
Girnargujaratgujarat newsJUANGADHjuangadh news
Advertisement
Next Article
Advertisement