ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુ

04:27 PM Nov 04, 2025 IST | admin
oplus_262176
Advertisement

બિમારીની ચિંતામાં આત્મઘાતી પગલુ ભર્યાનું અનુમાન ; પરિવાર શોકમગ્ન

Advertisement

શહેરની ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ગઈકાલે સાંજે પોતાના ઘરે પગલું ભર્યું હતું. તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં દમ તોડી દીધો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામાભાઈ ઉર્ફે રમેશભાઈ બટુકભાઈ જાદવ (ઉંમર વર્ષ 42, રહે.ગાંધીવસાહત પાસે, મોરબી રોડ, રાજકોટ) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ રામાભાઈ ઉર્ફે રમેશભાઈ છુટક મજૂરી કામ કરતા. તેમને સંતાનમાં 4 દીકરીઓ છે. પોતે 3 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ બીમાર હતા અને બીમારીની ચિંતામાં આ પગલું ભર્યાનું અનુમાન છે. જોકે પોલીસે આપઘાતના સ્પષ્ટ કારણ માટે તપાસ ચાલુ રાખી છે. આ તરફ 4 દીકરીઓએ પિતાની છત્રાછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement