ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રોહિદાસપરાના યુવાને બિમારીથી કંટાળી ફાંસો ખાઇ કર્યો આપઘાત

05:30 PM Jun 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ડેલામાં લટકી જીવન ટૂંકાવ્યુ

Advertisement

શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરામા રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રોહીદાસપરા મેઇન રોડ પર રહેતા દિનેશ મનજીભાઇ પરમાર (ઉ.વ. 3પ) એ માનસીક બીમારીથી કંટાળી લોખંડની આડીમા ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથમીક તપાસમા મૃતક યુવાન એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. અને અપરીણીત હતો. છેલ્લા 6 વર્ષથી માનસીક બીમારીમા સપડાતા પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા સંતકબીર રોડ પર આવેલ રાજા રામ સોસાયટીમા રહેતા કુંવરબેન રામસીંગભાઇ સોલંકી નામનાં 90 વર્ષનાં વૃધ્ધા પોતાનાં ઘરે હતા. ત્યારે કોઇ અગમ્ય કારણસર ડેલામા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement