For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

12:06 PM Nov 03, 2025 IST | admin
મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

મોટા ભેલા ગામથી ભાવપર જવાના રસ્તે મંદિર પાસે બાઈક સ્લીપ થતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

માળિયા (મી.) ના સરવડ ગામે રહેતા ભાનુબેન કારાભાઈ મુછ્ડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો કિશોર મુછ્ડીયા (ઉ.વ.35) વાળો ગત તા. 05-10-2025 ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યે માળિયાના મોટા ભેલા ગામથી ભાવપર ગામ વચ્ચે બાઈક જીજે 36 એએન 9653 લઈને જતો હતો અને ગાય માતાના મંદિર પાસે કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.

અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન કિશોર મુછ્ડીયાનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી છત્તરની ચોરી
શિયાળાની ઠંડીની શરૂૂઆત થઇ ચુકી છે ત્યારે ગુલાબી ઠંડી સાથે તસ્કરો પણ સક્રિય બની ગયા છે હળવદ પંથકમાં મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાગીનાની ચોરી કરી હતી માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદા મંદિરમાંથી તસ્કરો ચાંદીના બે કિલોગ્રામ વજનના છત્તર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી સુનીલદાસ માધવદાસ દૂધરેજિયા (ઉ.વ.25) નામના પુજારીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હ્ચે કે ગત તા. 31-10 ના રાત્રીથી તા. 01-11 ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ વાસંગી દાદા મંદિરમાંથી અલગ અલગ ચાંદીની ફેણો અને છત્તરો જેનું આશરે કુલ વજન બે કિલોગ્રામ કીમત રૂૂ 80,000 ની ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement