પુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિત
પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી યોજના નસ્ત્રવન નેશન વન રેશનકાર્ડસ્ત્રસ્ત્ર ની ગુજરાતમાં અમલવારી સામે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. આ મામલે એસોસિએશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે.
પત્રમા એસોસિએશને જણાવ્યું છે કે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા વન નેશન વન રેશનકાર્ડ યોજનાનું નસ્ત્રબાળ મરણસ્ત્રસ્ત્ર કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, અધિકારીઓ દુકાનદારો સાથે ચર્ચા કરવા પણ તૈયાર નથી. વારંવાર બદલાતા નિયમો અને તઘલખી નિર્ણયોને કારણે યોજના યોગ્ય રીતે ચાલી રહી નથી. ખાસ કરીને પોર્ટેબિલિટીનો જથ્થો ફાળવવામાં થતી ગેરરીતિઓને કારણે દુકાનદારોને અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી સમયસર અનાજ પહોંચાડવામાં આવતું નથી. આથી, જરૂૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને સમયસર અનાજ મળતું નથી અને તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, દુકાનદારોને પણ સમયસર કમિશનની રકમ આપવામાં આવતી નથી.
એસોસિએશને માંગ કરી છે કે, ઓએનઓઆરસી યોજના માટે જરૂૂરિયાત મુજબ પરમિટ બનાવવી જોઈએ અને તેમાં કોઈ ટકાવારીનો નિયમ ન હોવો જોઈએ. જો પુરવઠા વિભાગની આ ચરમરાયેલી વ્યવસ્થામાં સુધારો નહીં થાય, તો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તાલુકા-તાલુકામાં આવેદનો આપવામાં આવશે અને પુરવઠા નિગમની નિષ્ફળતાઓ જાહેરમા લાવવામા આવશે.