સાવરકુંડલાના ધોબા ગામે અજગરે જંગલી પ્રાણી શિયાળનો કર્યો શિકાર
12:35 PM Sep 10, 2025 IST | Bhumika
ઘટના નિહાળવા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા
Advertisement
સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક ઇન્ડિયન પાઇથન (અજગર) દ્વારા જંગલી પ્રાણી શિયાળનો શિકાર કરવામાં આવ્યો. આ ઘટના દિલુભાઈ ખુમાણની વાડીમાં બની હતી.
શેડ્યૂલ વન હેઠળ સંરક્ષિત ગણાતા ઇન્ડિયન પાઇથન દ્વારા શિયાળનો શિકાર થતાં જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે, અને વન વિભાગ દ્વારા આ મામલે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના વન્યજીવ સંરક્ષણ અને જૈવવિવિધતાના મહત્વને ઉજાગર કરે છે. વન વિભાગે લોકોને આવા સંરક્ષિત પ્રાણીઓની નજીક જવાનું ટાળવા અને કોઈપણ અસામાન્ય ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવા અપીલ કરી છે.
Advertisement
Advertisement