For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં બે સંતાનોની માતાનો આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત

12:48 PM Feb 01, 2024 IST | Bhumika
ચોટીલામાં બે સંતાનોની માતાનો આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત

પંખા સાથે ચુંદડી બાંધી ઘરમાં જ ખાઈ લીધો ગળેફાંસો

Advertisement

ચોટીલામાં નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે બે પુત્રીઓની માતાએ ગળેફાંસો ખાઇ મોતને ભેટતા સામાન્ય મિસ્ત્રી પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.ચોટીલા થાનરોડ નજીક જુની પોષ્ટ ઓફિસ પાછળનાં વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ રતીભાઇ પરમાર (લુહાર મિસ્ત્રી) ના પત્ની સોનલબેન એ કોઇ ઘરના દરવાજા બંધ કરી પોતાની ચુંદડી વડે ઓસરીમાં પંખા સાથે લટકાઇ ફાસો ખાઇ આત્મઘાતી પગલું ભરી મોતને વ્હાલુ કરતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણજનારનાં પતિ પ્રાઇવેટ કારખાનામાં મજુરી કામ ઉપર હતા અને બે દિકરીઓ સ્કૂલ ગયેલ હતી તે સમયે આ પગલું ભરેલ જ્યારે તેના પતિ ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને કોઇએ ન ખોલતા મકાન ઉપર થી અંદર થી ઉતરતા લટતી હાલતમાં જોતા સ્તબ્ધ બની ગયેલ હતાં.

Advertisement

પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થીક પરિસ્થિતી પોતાના સમાજ કરતા થોડી ખરાબ હોય જે મરણ જનારને મનોમન લાગી આવતા પોતાની જાતે પોતાના રહેણાક મકાનની ઓસરીમાં પખા સાથે ચુંદડીથી ગળેફાસો ખાઇ આત્મઘાત કરી મરણ ગયેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બે પુત્રીઓ અને નબળી આર્થિક પરિસ્થિતિની ચિંતામાં આત્મઘાતી પગલાં ને કારણે દશ અને સાત વર્ષ ની બે દિકરીઓ માતા વિહોણી બનતા લોકોમાં ગમગીની સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement