For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સગીરા અને બે યુવકના ગળેફાંસો ખાઈ આપઘાત

04:50 PM Feb 29, 2024 IST | Bhumika
રાજકોટમાં સગીરા અને બે યુવકના ગળેફાંસો ખાઈ આપઘાત
  • ગોકુલનગરના યુવકે ગૃહકંકાસથી, હલેન્ડાની સગીરાને પરિવારે ઠપકો આપતાં મોત મીઠું કર્યું : ત્રણેયના પરિવારમાં અરેરાટી

રાજકોટ શહેરમાં અલગ અલગ બનાવમાં એક સગિરા અને બે યુવાનોએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. જેમાં સગીરાને તેમાના પરિવારે ઠપકો આપતા ગળેફાંસો ખાઈ લીધો અને ગોકુલનગરમાં રહેતા યુવકની પત્ની ગૃહકંકાસને કારણે તેમના સબંધીને ત્યાં ચાલી જતા તેમણે પણ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.

Advertisement

જેમાં પ્રથમ બનાવમાં રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે રહેતી રીનાબેન ગોરધનભાઈ ચૌહાણનામાની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાએ આત્મઘાતી પગલું ભરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સગીરાનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને સગીરાને કોઈએ ઠપકો આપતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્ક શેરી નંબર એકમાં રહેતા રાજેશ વેલજીભાઈ કોળી નામના 29 વર્ષના યુવાને આજે પોતાના ઘરે પંખામાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ થયું હતું આજે સવારે રાબેતા મુજબ તેમના પિતા કામ ઉપર જવા માટે રાજેશ ને ઉઠાડવા ગયા ત્યારે રાજેશ નો મૃતદેહ પંખા સાથે લટકતો જોઈને પિતા પછડાય પડ્યા હતા તેમણે તાત્કાલિક પોલીસ અને 108 ને જાણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં રાજેશ નું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું પોલીસના કહેવા મુજબ રાજેશ ચાર ભાઈ અને બે બહેનમાં નાનો હતો સંતાનમાં એક દીકરી ધરાવે છે તેમ જ એકાદ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થઈ જતા ત્યારથી ગુમસૂમ રહેતો હતો બારદાન ના કામકાજમાં મજૂરી કરે છે બનાવતી કોળી પરિવારમાં શોક ફેલાયો છે.

Advertisement

ત્રીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન હોટલની સામે ગોકુલનગરમાં રહેતા ઘનશ્યામ મંગરૂભાઈ ભૈયાજી (ઉ.વ.35) નામના યુવાને પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા માલવિયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને સિવિલમાં પોસ્ટમોટર્મ માટે ખસેડ્યો હતો તેમને ટીબીની બિમારી હતી.

પોતે 3 ભાઈ પાંચ બહેનમાં બીજા નંબરનો હતો તેમને સંતાનમાં એક દિકરો છે.
ઘનશ્યામ ફેબ્રીકેશનના કારખાનામાં કામ કરતો હતો ઘનશ્યામને દારૂ પીવાની ટેવ હોય પોતે ગઈકાલે દારૂ પીને પત્ની સાથે ઝઘડો કરતો હોય જેથી તેમની પત્ની સબંધીને ત્યાં ચાલી જતાં ઘનશ્યામે પગલુ ભરી લીધુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાગળો કર્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement