રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાયલા ગ્રામપંચાયતના સદસ્યએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

12:48 PM Oct 14, 2024 IST | admin
Advertisement

કયા કારણોસર પગલું ભર્યું? એ અંગે તપાસનો ધમધમાટ

Advertisement

સાયલા સાયલા શહેરમાં બહાર પરા વિસ્તારમાં રહેતા અને મકાન બાંધકામનું કોન્ટ્રાક્ટ કામ કરનાર તેમજ ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે સેવા આપનાર 35 વર્ષના અરવિંદભાઈ ખોડાભાઈ મોરીએ પોતાના ઘેર તા.13-10-2024ને રવિવારે અગમ્ય કારણોસર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

આ બાબતને પરિવારજનોને જાણ થતાં અરવિંદભાઈને સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા ડોક્ટરોએ અરવિંદભાઈને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.
ગ્રામ પંચાયતના સદસ્ય અરવિંદભાઈએ આપઘાત કર્યો હોવાના બનાવ સાયલા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં સતવારા સમાજના તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સાયલા દવાખાને દોડી ગયા હતા. મૃતકનું પીએમ બાદ પરિવારજનોને લાશ સોંપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અરવિંદભાઈની અંતિમયાત્રામાં જોડાયા હતા.

આ બનાવમાં સાયલા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અરવિંદભાઈએ કયા કારણોસર ફાંસો ખાધો ? એ બાબતે પણ પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં થોડા સમયથી આત્મહત્યાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.

Tags :
cut his life short by hanging himselfgujaratgujarat newsmember of Saila Gram PanchayatSurendranagarsurendranagarnews
Advertisement
Next Article
Advertisement