ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ

12:12 PM Nov 13, 2025 IST | admin
Advertisement

ખનીજ ચોરી ધ્યાનમાં આવે તો સૂચના મુજબ કાર્યવાહી કરવા સરપંચો અને તલાટી મંત્રીઓને તાકીદ

Advertisement

ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા પાયે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી જણાવાયું હતું કે અગાઉ જ્યાં ખનિજ ચોરી થતી હતી, ત્યાં આકસ્મિક તપાસણી કરીને તેને બંધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં કોઈ પણ ગામમાં ખનિજ ચોરી ફરી શરૂૂ ન થાય તે માટે તકેદારી રાખવા અને જો આવી ચોરી ધ્યાનમાં આવે તો તાત્કાલિક સૂચના મુજબ કાર્યવાહી કરવા તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, ગૌચર અને સરકારી પડતર જમીનો પર થયેલા દબાણો દૂર કરવા અને દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોટીલા, મુળી અને થાનગઢના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Chotilagujaratgujarat newsMuliThangaDh
Advertisement
Next Article
Advertisement