For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ નાકા બહાર રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

11:49 AM Aug 08, 2024 IST | Bhumika
કાલાવડ નાકા બહાર રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
Advertisement

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક સતવરા જ્ઞાતિની પરણીતાએ પોતાના સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ ઝેર પીલઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડનાકા બહાર મામાના મંદિર સામે રહેતી જશવંતીબેન ઉર્ફે જયશ્રીબેન વિનોદભાઈ કટેશીયા નામની 32 વર્ષની પરણીતાએ પોતાના ઘેર ગુસ્સામાં આવી જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેણીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.કે. બ્લોચે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર પરણીતાના ત્રણ સંતાનો કે જેઓ અંદરોઅંદર ઝઘડો કરતા હતા, તેથી માતાને મનમાં લાગી આવતાં ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement