રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોરબંદરના ટુકડા ગામે ત્રણ પશુનું મારણ કરતો દીપડો

12:53 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ),રાજપર(નવાગામ) અને ટુકડા(ગોસા) ગામામાં છેલ્લ પાંચ દિવસથી ખુંખાર દિપડાએ આતંક મચાવી આઠ આઠ જેટલા માલધારી,ખેડુતોના વહાલસોયા પશુઓના મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલયો છે. ટુકાડા(ગોસા) ગામે ગઈ રાત્રીના 1 પછી એક દીપડાએ મુળ બળેજના અને હાલ ટુકાડા(ગોસા)ગામે નેશનલ હાઈવે રોડ પર સમુન્દ્રની સાનિધ્યમાં રહેતા પરબત નાગા પરમાર, મસરી નાગા પરમાર અને કેશુ નાગા પરમાર નામના ખેડુત પરિવારની માલીકીની ત્રણ પાડીને દરિયાઈ જંગલ વિસ્તારમાંથી દિપડો ચડી આવીને રહેણાંક વિસ્તારામાં ખુલ્લા ઢારીયામાં બાંધેલાં એક બે માસની અને બીજી15 દિવસની પાડેને મારી નાખી અને 8 દિવસની પાડીનો શિકાર કરી રહેણાકથી દરિયાઈ બાજુના જંગલમાં લઈ જઈ ત્યાં મિજબાની કરતાં એક સાથે ત્રણ પશુઓના ખુંખાર દિપડાએ શિકાર કરતાં ગ્રામ્યપંથકના લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

Advertisement

જ્યારે અન્ય બીજા બનાવોમાં પોરબંદરનાં ગોસા(ઘેડ) અને રાજપર(નવાગામ) ગામે ચાર દિવસ પહેલા મોડી રાતના દિપડો આવી પહોંચ્યો હતો અને ગામામાં માલધારીએ તેમના વાડામાં બાંધેલ 10 પશુઓમાંથી નાના બે પાડરડાં અને એક વાછડીનું દીપડાએ મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતા. ગામ્ય પંથકમાં દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ છે. તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર દીપડી પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે ગામામાં પ્રવેશતાં મેઈન રોડને અડીને આવેલ વાડામાં પશુઓ બાંધેલ હતાં ત્યારે ગૌશાળાના ખેતરમાંથી આવીને ગત તા.5 ના વહેલી સવારના ખીમાભાઈ કાનાભાઈ આગઠ માલીકીના બાંધેલ પશુઓમાંથી નાની પાડીને શિકાર કરવાની પેરવી કરતાં ડોક પકડીને ડીપડાએ મારણ કરવાની કોષીશ કરતાં અને કુતરાઓએ રાડારાડ કરી મુકતાં ડીપડાએ પાડરાને ગળાના ભાગે ગંભીર ઈજા પહોચાડી લોહી લોહાણ કરી ને નિકળી જતાં પશુઓ બચી ગયાં. જ્યારે તે જ દિવસની મોડી રાત્રીના તે દીપડો રાજપર(નવાગામ) ગામે માલધારી અરજનભાઈ સુરાભાઈ સિંધલે ગામમાં આવેલ વાડામાં બાંધેલાં 10 જેટલા ગાય,ભેંસ તથા વાછરડાં અને પાડરડાંમાંથી બે પાડરડાં અને એક વાછરડીનો શિકાર કરી મારી નાખતાં રાજપર(નવાગામ) ગામે દિપડો ચડી આવતા ભયનો માહોલ છવાય ગયો છે. બરડા ડુંગરમાંથી અને પોરબંદર વિસ્તારમાંથી વિહરતા વિહરતા તે છેક રાજપર તથા ગોસા(ઘેડ) અને ટુકડા ગામમાં પહોંચી આવ્યો છે. ગત 8 તારીખના રાજપર તથા ગોસા(ઘેડ) ગામે વચ્ચે રહેતા ખેડુત નાથા ભાયાના રહેણાંકની સામે બાધેલ ગીર ગાય તેના વાછડો અને ભેસોમાંથી દિપડાએ ગીર ગાયના વાછડાનો શિકાર કરી નાસી ગયો હતો. અને 9 તારીખના રાત્રીના ફરી તેજ સ્થળે દિપડો આવતાં ત્યાં રાત્રીના પાંજરૂ વન વિભાગ દ્રારા ગોઠવેલ હતુ. પરંતુ ચાલાક દિપડાએ ગત રાત્રે ગોસા નવાગામ ને છોડી બાજુના ટુકડા(ગોસા) ગામે ટ્રાટકી મોડી રાતના પરબત નાગા પરમારના રહેણાંકની બાજુમાં બાધેલી ત્રણ પાડીમાંથી બે પાડીને મારી નાખી અને એક 8 દિવસની પાડીનુ મારણ કરી વાડીમાંથી લઈ જઈ બાજુમાં આવેલ જંગલમાં તાજી જન્મેલ પાડીની મિજબાની ઉઠવેલી. જયારે સવારમાં પશુપાલક પરબતભાઈનો પરિવાર પોતાના પશુઓને દોહવા ગયા તો એક સાથે ત્રણ પશુઓના દીપડાએ મારણ કરતાં પશુપાલકે મહેર એકતા સમીતીના નાથાભાઈ ઓડેદરા અને ગોસા(ઘેડ)ના સામાજીક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠને જાણ કરતાં તુરંત જ ઘટના સ્થળે વિરમભાઈ દોડી જઈને તેઓએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતાં રાઉન્ડ ફોરેસ્ટ માળીયા હિતેશભાઈ અને ગાર્ડ જેઠાભાઈ તુરંત જ ટુકડા (ગોસા) ગામે ઘટના સ્થળે દોડી આવી ડીપડાએ મારણ કરેલ જગ્યાનું નિરિક્ષણ કરતાં ત્ર્ણ પાડીનું મારણ ડીપડાએ કર્યાનું સ્વીકારેલ અને મારણ વાળી જગ્યાએ એક પાંજરૂૂ આજે મુકીને દિપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી બતાવેલ.તેમજ ફોરેસ્ટ વિભાગના નિતિ નિયમોને આધીન જે કાઈ સહાય મળતી હોય તેની કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી અપી હતી.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement