રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાના કેશોદ ગામે જાતરના પરંપરાગત મેળામાં અશ્વ રેસ યોજાઈ

03:31 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દર વર્ષની જેમાં આ વર્ષે પણ જાતરની ઉજવણી કરાઈ હતી. જેમાં આશરે વીસ હજાર જેટલા માઈ ભક્તો જોડાયા હતા. જાતરમાં ભાઈઓ તથા બહેનો દ્વારા પરંપરાગત ચારણી રાસની જમાવટ કરાઈ હતી. આ પ્રસંગે છ થી સાત હજાર જેટલા ભક્તોએ પ્રભુ પ્રસાદીનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. અહીંના સુવિખ્યાત શ્રી આવળ માતાજીના મંદિરે નવરાત્રીના પરંપરાગત મહોત્સવમાં સાથે અશ્વદોડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વદોડ સ્પર્ધામાં આ વિસ્તારના 35 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. અશ્વની આ રેવાલ દોડ અને સ્પીડ દોડને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં બારાડીની બંદૂક નામની ઘોડી વિજેતા બની હતી. આ આયોજનમાં કેશોદ ગ્રામ પંચાયત દ્વારા બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તમામ ધાર્મિક આયોજનો માટે કેશોદ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન કશ્યપભાઈ આહીર તેમજ તેમની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
Tags :
gujaratgujarat newsKeshod villageKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement