For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય

05:39 PM May 08, 2025 IST | Bhumika
મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય

પાવડો પકડી ફોટા પડાવતા શાસકો ધો.10ના હોનહાર રિઝલ્ટ લાવનાર છાત્રોને બિરદાવવાનું ચૂક્યા

Advertisement

ધો. 10નું રિઝલ્ટ આવતા આજે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાઈવેટ શાળાઓમાં ઝળહળતુ રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓના ગુણગાન ગવાઈ રહ્યા છે અને તેની પ્રસિદ્ધી માટે વિદ્યાર્થીઓના ફોટા સાથે તેમને બિરદાવવામાં આવી રહ્યા છે. તેની સામે મહાનગરપાલિકા સંચાલીત શાળાઓના અનેક વિદ્યાર્થીઓએ ઉચા પર્સન્ટાઈલ મેેળવી સિધ્ધિ હાંસલ કરી છે. પરંતુ આ શાળાઓ સરકારી હોવાથી આવા વિદ્યાર્થીઓને બિરદાવવાનું શાસકો ચુક્યા છે. જેના લીધે મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય થયો હોવાની વાલીઓમાં ચર્ચા જાગી છે.

એસએસસીનું રિઝલ્ટ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મોટાભાગની પ્રાઈવેટ શાળાઓએ નંબર લઈ આવનારા હોશિયાર વિદ્યાર્થીઓને બિરદાવવા માટે શાળામાં ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચગુણ સાથે ઉતીર્ણ થયા છે. છતાં પાવડો કોદાળી લઈને પેવીંગ બ્લોક નાખવાના ખાતમુહુર્તમાં સમયસર હાજર રહી ફોટા પડાવનાર પદાધિકારીઓએ પોતાની શાળાના ધો.

Advertisement

10ના રિઝલ્ટની પરવાહ કરી ન હોય તેમ આજે રિઝલ્ટ જાહેર થયા બાદ ટકાવારી અને વિદ્યાર્થીઓ મુદ્દે ચર્ચા કરતા જોવા મળ્યાહ તાં. જેની સામે પોતાની જ શાળાના ઉચ્ચગુણ સાથે ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને બિરદાવવા જોઈએ તેવો વિચાર પણ આવ્યો ન હતો. મનપા સંચાલિત એકનાથ રાનડે વિદ્યાલયના 56.25 ટકા પરિણામ આવ્યું છે અને 3 વિદ્યાર્થીઓ 83.28 પીઆર સાથે ઉતીર્ણ થયા છે. છતાં આ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને બિરદાવવાના બદલે કચેરીમાં બેસી સમય પસાર કર્યો હતો. તેવી જ રીતે મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય તથા વિરસાવરકર વિદ્યાલયનું પણ ઉચુ પરિણામ આવ્યું છે. છતાં શાસકો સહિતનાએ શાળાના વિદ્યાર્થીઓને બિરદાવવાનું એક બાજુ રહ્યું પણ આ બાબતે પુછપરછ પણ કરી ન હોવાનું જાણવા મળ્યું છે. જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement