રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામકંડોરણામાં 26મીએ 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

11:27 AM Jan 23, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

10 હજાર સ્વયંસેવકોની ફોજ દ્વારા તૈયારી, દોઢ લાખથી વધુ લોકો ઊમટશે, ભોજન-પાર્કિંગ માટે 125 વીઘા અને લગ્ન મંડપો માટે 75 વીઘા જમીનમાં જયેશ રાદડિયાનું વિશાળ આયોજન

Advertisement

ક્ધયા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કદવાર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તા. 26 જાન્યુઆરીના રોજ 511 દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ નપ્રેમનું પાનેતરથનું વિશાળ આયોજન કરાવમાં આવ્યું છે.
ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપો, તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.

જામકંડોરણાના આંગણે યોજાનાર આ ઔતિહાસિક સમુહ લગ્નોત્સવ અંગે માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય સમુહલગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના 511 દિકરા-દિકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે. અને દર વર્ષે આ સેવાકાર્ય વધુને વધુ વિસ્તરી રહ્યું છે.

આ ભવ્ય સમુહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. કંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 25000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વ્યંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમુહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દિકરીને અંદાજે રૂૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે. સાથો સાથ દરેક દિકરીને શ્રીમદ ભાગવદ્ ગીતા પણ ભેટ ધરવામાં આવશે. કરિયાવરમાં ઘરગૃહસ્થિનું તમામ ફર્નિચર-રાચરચીલું આપવામાં આવનાર છે. વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલા જ જે તે ક્ધયાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામ કંડોરણા છાત્રાલય દ્વારા કરવામાં આવી છે. દિકરીઓને ફ્રીઝ, ટીવી, બેડ, સોફા-સેટ, કબાટ, ટિપોઈ, ગાદલા, ઓસીકા, સોનાના દાણા, મંગળસુત્ર, રજવાડી ચેઈન વીથ પેન્ડલસેટ, ચાંદીનો તુલસીનો ક્યારો, સાંકળા, કંદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિક્સર, બ્લેન્ડર, ટોસ્ટર સહિતની જીવનજરૂૂરી ચીજવસ્તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચુડી, સાફો, સોલ, માળા, મોજડી તથા ક્ધયાના પાનેતર, સલવાર સુટ, ડિઝાઈનર સાડીઓ, કપ્પલ રિસ્ટવોચ વિગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે.
શ્રી જામ કંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સહિતની સંસ્થાઓ દ્વારા ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન આઠમા શાહી સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે લેઉવા પટેલ સમાજની 511 દિકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ શાહી સમુહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, પ્રેમનું પાનેતર લગ્નોત્સવ સમારોહના મુખ્ય દાતા મુળ જામ કંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લભભાઈ ગજેરા છે. જ્યારે અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે જ્યારે ઉદ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, સુરતના ડાયમંડ ઉદ્યોપતિ વસંતભાઈ જેરા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતાશ્રી હંસરાજભાઈ રાદડિયા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જેતપુરના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા તેમજ સુરતના ભક્તિગૃપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઈન્ફ્રા.ના પરસોતમભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે.

આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી રાજકીય, સામાજીક આગેવાનો ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિકરીઓને આશિર્વાદ આપવા જામ કંડોરણાના આંગણે ઉપસ્થિત રહેનાર છે.
સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેષભાઈ બાલધા, બાંધકામ સમિતિ ચેરમેન- ક્ધયા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ ત્રાડા, મનસુખભાઈ સાવલિયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જશમંત કોયાણી, કિરણ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધિરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જિવરાજભાઈ સતાસિયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસિયા, છગનભાઈ સાવલિયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ ત્રાડા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસિયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળિયા, વલ્લભભાઈ રૂૂૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલિયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા મહેનત કરી રહ્યા છે.

શુક્રવારે ભવ્ય રાસોત્સવ
લાડકડીના લગ્નોત્સવ પહેલા એટલે કે તા. 24 જાન્યુઆરીના રોજ સાંજે 8 વાગ્યે ગીતાબેન રબારી તથા તેના ગૃપનો ભવ્ય રાસોત્સવનું લગ્નસ્થળે આયોજન કરાયું છે. જેનો લાભ લેવા આયોજક ગણે અનુરોધ કર્યો છે.

લગ્નોત્સવના દિવસે માંગલિક પ્રસંગો
જામકંડોરણાના લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનમાં 511 દીકરીના સમુહલગ્નોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં બપોરે 2:30 વાગ્યે જાન આગમન થશે 3 વાગ્યે ભવ્ય વરઘોડામાં વર ક્ધયા પરિવારજનો શરણાઈ-બેન્ડના તાલે ઝુમશે, સાંજે 4 વાગ્યે દાતાઓનો સત્કાર સમારંભ તેમજ આશિર્વચન, સાંજે 5 વાગ્યે હસ્ત મેળાપ, 6 વાગ્યે ભોજન સમારંભ, 8 વાગ્યે ક્ધયાઓનું ભાવભેર વિદાયમાન અપાશે લગ્નોત્સવ દરમિયાન ઉવર્શિબેન રાદડિયાનું ગૃપ દ્વારા લગ્નનગીતોની રમઝટ બોલાવાશે.

ખાસ આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઇ
લગ્ન સમારોહ દરમિયાન ઇમરજન્સી સારવાર માટે રાજકોટકની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા જરૂૂૂરિયાતમંદ લોકોનું ડાયાબિટિસ અને બ્લડ પ્રેસર તપાસી દેવાશે.

Tags :
gujaratgujarat newsJamkandoranaJamkandorana news
Advertisement
Next Article
Advertisement