કૃષ્ણ જન્મોત્સવ પહેલાં રાજકોટને ભવ્ય-દિવ્ય શણગાર
03:39 PM Aug 24, 2024 IST | admin
સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે શહેરભરમાં ઠેર-ઠેર નંદ ઉત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. શહેરને ગોકુળિયા રંગમાં રંગવા માટે શહેરીજનોને અને ખાસ કરીને કૃષ્ણભક્તોમાં અનન્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઘણી જગ્યાએ દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાનના આકર્ષક ફલોટ્સ બનાવવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ સુધી સતત કૃષ્ણભક્તિ કરવામાં ભાવિકોમાં અનેરી આસ્થા જોવા મળી રહી છે. પ્રસ્તુત તસવીરોમાં શહેરભરમાં જુદી જુદી જગ્યાએ ઉજવાનાર નંદમહોત્સવની તસ્વીરો જોવા મળે છે.
Advertisement
Advertisement