રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પુષ્કરધામના બાંધકામના ધંધાર્થીએ રેસકોર્સ બગીચામાં ઝેર ગટગટાવ્યું

05:19 PM Oct 09, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement
Advertisement

શહેરના યુનિવર્સિટી રોડ નજીક પુષ્કરધામમાં રહેતા બાંધકામના ધંધાર્થીએ રેસકોર્ષ બગીચામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. 90 હજારની ઉઘરાણી ફસાઇ જતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામમાં રહેતા અને બાંધકામના ધંધાર્થી મીથુન મહેન્દ્રભાઇ ચુડાસા (ઉ.વ.37) નામના યુવાને આજે સવારે રેસકોર્ષ બગીચામાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મીથુન બે ભાઇ ેક બહેનમાં નાનો અને બાંધકામનો ધંધો કરે છે. અગાઉ તેણે કરેલાકામના રૂા.90 હજાર લેવાના હોય જે ઉઘરાણી કરવા છતા આપતા ન હોવાથી આ પગલું ભરી લીધું હતું. આ અંગે પોલસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement