For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરનાં જેસરમાં વૃદ્ધની લાશ મળી આવવા મામલે ચાર મહિને હત્યાનો ગુનો નોંધાયો

12:06 PM Oct 04, 2024 IST | Bhumika
ભાવનગરનાં જેસરમાં વૃદ્ધની લાશ મળી આવવા મામલે ચાર મહિને હત્યાનો ગુનો નોંધાયો
Advertisement

ભાવનગર જિલ્લાના જેસર ગામે આજથી પાંચેક મહિના પહેલા વાડીમાં એક વૃદ્ધની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવમાં મૃતકની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ હાઈકોર્ટમાં કરતાં કોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવા આદેશ કર્યો છે. આ બનાવ અંગે જેસર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર જેસર ગામે કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા અને પિતૃક્ત માલિકીની જમીન ધરાવતા મનસુખ પ્રાગજી દેસાઈ-ઝાલાવાડીયા ઉ.વ.63 ની લાશ ગત તા.26-5-2024 ના રોજ તેની વાડીની ઓરડીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, એ સમયે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ હોય આ સંદર્ભે એ વખતે જેસર પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પરંતુ આ વૃદ્ધની હત્યા થઈ હોવાનો આક્ષેપ મૃતકના પુત્ર નિલેષે કર્યો હતો અને આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરતાં હાઈકોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરવા આદેશ કર્યો છે અને આ બનાવમાં ફરિયાદી નિલેષે હત્યાના શકમંદ તરીકે મગન પ્રાગજી દેસાઈ-ઝાલાવાડીયા, રવજી હીરા ડાભી, શાંન્તુ રવજી ડાભી તથા રાજુ રવજી ડાભીના નામ આપતા જેસર પોલીસે ચારેય શકદારોના નામ એફ આઈ આર મા નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement