For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવલોપ પાર્ક રેસિડેન્સીમાં વેપારીના પુત્રએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

03:58 PM Oct 01, 2024 IST | admin
દેવલોપ પાર્ક રેસિડેન્સીમાં વેપારીના પુત્રએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

આપઘાતનું કારણ જાણવા તજવીજ: પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી

Advertisement

કુવાડવારોડ પર આવેલા દેવલોપ પાર્ક રેસીડેન્સીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.ો મળતી વિગત મુજબ, દેવલોપ પાર્ક રેસીડેન્સી શેરીનં. 1 માં રહેતા ધ્રુમીત નિતીનભાઇ વેકરીયા (ઉ.વ. 28) એ પોતાના ઘરે રૂૂમમાં દોરી પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પિતા તેને બોલાવવા જતા દરવાજો બંધ હોઇ ખખડાવતા ધ્રુમીતે દરવાજો ન ખોલતા દરવાજો તોડી અંદરજતા પુત્ર ધ્રુમીત લટકતી હાલતમાંજોવા મળતા પિતાએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ અનિલસિંહ ગોહિલે સહિત સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક ધ્રુમીત બે ભાઇમાં મોટો હતો તે પિતા સાથે સોનીબજારમાં સોનીકામ કરતો હતો.તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement