રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૂત્રાપાડા બીટના નાગથળી વિસ્તારમાંથી મોરનો શિકાર કરના2 મહિલા સહિત 4 ઝડપાયા

11:37 AM Jul 15, 2024 IST | admin
Advertisement

રિમાન્ડ નામંજૂર કરી કોર્ટે કર્યા જેલહવાલે

Advertisement

સુત્રાપાડા બીટના નાગથળી વિસ્તારમાં મોરનો શિકાર થયો હોવા અંગે સુત્રાપાડા પોલીસને ખબર પડી હતી. જેથી આ ઘટના અંગે પોલીસે જાણ કરતા વન વિભાગના રેંજ આર.એફ.ઓ. યોગેશભાઈ કલસરિયા, ફોરેસ્ટર નારણભાઇ પંપાણીયા, રાઉન્ડ ફોરેસ્ટ એસ.જે. ગોરડ, બીટ ગાર્ડ યું.બી. જોટવા, પી.બી.વાળા, ડી.વી.મકવાણા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં સ્થળ ઉપરથી મૃત મોરના અવશેષો સાથે શિકારી દેવીપુજક અરવિંદ દેવાભાઈ પરમાર, જ્યોત્સનાબેન બારડ, અંજુ સોલંકી તથા અન્ય એક સગીરને સ્થળ પરથી રાઉન્ડ અપ કરી લીધા હતા. મોરનો શિકાર કરનાર ચાર આરોપીઓ પૈકી બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટમાં વાઇલ્ડ લાઇફ એક્ટની કલમ 9 સહિતની વન્ય પ્રાણી સરક્ષણની કલમો મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાદમાં આરોપી બે મહિલા સહિત પુખ્ત વયના ત્રણ આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં જ્યારે એક સગીર વયના બાળ આરોપીને વેરાવળમાં બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મોરના શિકારમાં ઝડપાયેલ આરોપીઓ કેટલા સમયથી આ શિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અગાઉ કેટલા વન્ય જીવોનો શિકાર કર્યો છે તે સહિતના અલગ અલગ મુદ્દે આરોપીઓની તપાસ હાથ ધરવા ત્રણ દિવસના રીમાન્ડ માંગેલ જેને કોર્ટે ગ્રાહ્ય ન રાખી રીમાન્ડના મંજુર કરતા આરોપી શિકારીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement