ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત

06:01 PM Jun 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097152
Advertisement

શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર પાસે ઝુંપડ પટ્ટીમાં રહેતાં રમેશભાઈ સલાડની ત્રણ વર્ષની બાળકી સજના ઉર્ફે ખુશી આજે સવારે તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને આચકી ઉપડતાં તે પડી ગઈ હતી. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સજના બે ભાઈ બે બહેનમાં નાની અને તેના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement