For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

8 કિલો ચરસ સાથે ઝડપાયેલા ચાર શખ્સને 20-20 વર્ષની કેદ

06:05 PM Feb 08, 2024 IST | Bhumika
8 કિલો ચરસ સાથે ઝડપાયેલા ચાર શખ્સને 20 20 વર્ષની કેદ

છ વર્ષ પૂર્વે અમદાવાદ નાર્કોટીક્સ વિભાગની બાતમી આધારે દરોડા પડયા’તા : સપ્લાયરને શંકાનો લાભ

Advertisement

અમદાવાદ ખાતે છ વર્ષ પૂર્વે ઝડપાયેલા એક શખ્સની પુછપરછમાં મળેલી માહિતી આધારે રાજકોટમાં જંગલેશ્વરમાંથી આઠ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલા મહેબુબ ઠેબા સહિત ચાર શખ્સોને અદાલતે 20-20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂૂપિયા એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે સપ્લાયરને શંકાનો લાભ આપી મુક્ત કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ તા.9/09/2018ના અમદાવાદ નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરો દ્વારા એક શખને નસ્ત્રઈન્ટરસેપ્ટસ્ત્રસ્ત્ર કરતા જાણવા મળેલ કે શકીલ અને સોહીલ નામના બંને શખ્સો રાજકોટ ખાતે મહેબુબ નામના શખ્સને ચરસના જથ્થાની ડિલિવર કરી ગયા છે. અમદાવાદ નાર્કોટિક્સ વિભાગને મળેલી માહિતી બાતમી આધારે રાજકોટ એસ.ઓ.જી. ટીમ દ્વારા ફોન કોલ રેકર્ડ તપાસતા મહેબુબ ઠેબા નામની વ્યકિત જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને ચરસનો જથ્થો ત્યાં ડિલિવર થયો હોવાનું ખુલ્યું હતું. જંગલેશ્વર વિસ્તારના કોઈ શેરી નંબર કે મકાન ઉપરના નામ અંગે કોઈ જ માહિતી ન હોવાથી એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એન. ગડુએ પોલીસ અધિકારીઓની બે ટીમ બનાવી જંગલેશ્વર વિસ્તારમાં ગુપ્ત રાહે તપાસ કરાવતા મહેબુબ ઠેબા જંગલેશ્વર વિસ્તારના શેરી નં. 13/19 ના ખૂણે આવેલ મકાનમાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસે વિડિયોગ્રાફર સાથે મહેબુબ ઠેબાના મકાનમાં પંચોની હાજરીમાં રેડની કાર્યવાહી શરૂૂ કરી હતી. જેમાં મહેબુબ ઠેબાના મકાનમાં પડેલા દરોડા દરમિયાન પહેલા રૂૂમમાં આરોપી ઈલ્યાસ હારૂૂન સોરા માદક પદાર્થ ચરસના 1.010 કિલોગ્રામ ગઠ્ઠા સાથે, મકાનના ઉપરના ભાગે જાવેદ ગુલમહમદ દલ બાથરૂૂમમાં રેકઝીનના થેલામાંથી 2.08 કિલોગ્રામ ચરસના ગઠ્ઠા સાથે ત્યારબાદ શેરી નં. 11ના ખૂણે આવેલ ઓરડીમાં રફીક હબીબભાઈ લોયા થેલામાં 5.09 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા હતા.

Advertisement

પોલીસે ચારેય આરોપીની આઠ કિલો ગ્રામ ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછમાં ચરસનો જથ્થો શકીલ શહીદ સૈફી નામના શખ્સે પહોંચાડેલ હોવાનું જણાવતા પોલીસે શકીલની પણ ધરપકડ કરી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે આરોપીઓ સામેની રેડનું વિડીયોગ્રાફરે શરૂૂઆતથી અંત સુધીનું રેકોર્ડિંગ કરેલ હોવાથી અદાલતને આ રેકોર્ડિંગ વાળી ડી.વી.ડી. ખરાઈ અંગેના પ્રમાણપત્ર સાથે રજુ કરવામાં આવી છે. જે સમગ્ર ડી.વી..ડી.માં ફિલ્મી સ્ટાઈલથી રેકોર્ડિંગ થયેલ હોય આ રેકોર્ડિંગ ઓપન કોર્ટમાં જોવામાં આવેલ છે. આ સમયે કોઈપણ આરોપીએ પોતાની ઓળખ અંગે કે મકાનના લોકેશન કે રાસાયણીક પૃથ્થકરણની પ્રક્રિયા વિગેરે બાબતે કોઈ જ તકરાર લેવામાં આવેલ ન હોવાથી આ કેસને નસ્ત્રઓપન એન્ડ શટસ્ત્રસ્ત્ર એટલે કે બિનવિવાદાસ્પદ રીતે પૂર્ણ થયેલો ગણવામાં આવે. આ કેસમાં દલીલો માટે આરોપી પક્ષે પાંચ માસ સુધી ફક્ત મુદતો માંગવામાં આવતી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ કેસ ચોકકસ સમયમર્યાદામાં પુરો કરવાનો આદેશ આપેલ હોવાથી સેશન્સ અદાલતે વધુ મુદતો આપવાનો ઈન્કાર કરી આ કેસને જજમેન્ટ ઉપર મુકેલ હતો. આ કેસમાં ચરસનો જથ્થો આરોપીઓને પુરો પાડનાર પાંચમો આરોપી શકીલ સહીદ સૈફીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે. જયારે મહેબુબ ઓસમાણ ઠેબાને ચરસ મંગાવવા બદલ અને ઈલ્યાસ હારૂૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફીક હબીબભાઈ લોયાને ચરસ રાખવા બદલ એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો હેઠળ તકસીરવાર ઠરાવી સ્પેશિયલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે 20 - 20 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂૂપિયા એક-એક લાખ દંડ ફટકાર્યો છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.

સરકારી વકીલ સંજયભાઈ વોરાની સજા અપાવવામાં સેન્ચ્યુરી

જિલ્લા સરકારી વકીલ તરીકે આઠ વર્ષથી ફરજ બજાવતા સંજયભાઈ કે. વોરાએ આજ રોજ 100 કેસમાં સજાનો હુકમ મેળવી વિક્રમ સ્થાપેલ છે. સંજયભાઈ વોરાના જણાવ્યા મુજબ તેઓએ આઠ વર્ષ દરમ્યાન સગીર બાળાઓ ઉપરના દુષ્કર્મના કેસોમાં 100 આરોપીઓને આજીવન કેદની સજાઓ, ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળના કેસોમાં 30 આરોપીઓને ત્રણથી દશ વર્ષની જેલની સજાઓ, ખૂનના કેસોમાં 20 આરોપીઓને આજીવન કેદની સજાઓ, સાપરાધ મનુષ્યવધના કેસોમાં 20 આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની સજાઓ, નારકોટીકસના 13 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજાઓ તથા બનાવટી ચલણી નોટોના 10 વર્ષ સુધીની જેલની સજાઓ અપાવેલ છે તેમજ મગફળી કાંડમાં મગન ઝાલાવડીયાની, પેશકદમી અને હત્યાની કોશીષના ગુન્હાઓમાં બલી ડાંગર અને તેની ગેંગના સભ્યોની, ત્રણ વર્ષની બાળકી ઉપરના રેપ અને ખૂનના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા, ગોંડલ વિસ્તારના નિખીલ દોંગા સહિત તેની ગેંગના 12 સભ્યો અને જામનગરના જયેશ પટેલ ગેંગના 14 આરોપીઓની તમામની જામીન અરજીઓ દરેક તબકકે રાજકોટની અદાલતોમાં રદ કરાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement