For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

10:27 AM Mar 15, 2024 IST | Bhumika
બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાને પલટી મારતા 2ના મોત  25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બોટાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. અને 25 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર વિંછીયાથી શ્રમિકો પિકઅપ વાનમાં બેસીને ધંધુકા તરફ જઇ રહ્યા હતા ત્યારે કુંભારા ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી નઅને વધુ તપાસ હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં. આ સાથે 20થી 25 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement