For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાર જિલ્લાના કલેકટર સહિત 10 IAS અધિકારીની બદલી કરાઇ

06:02 PM Aug 06, 2024 IST | Bhumika
ચાર જિલ્લાના કલેકટર સહિત 10 ias અધિકારીની બદલી કરાઇ
Advertisement

ભાવનગર મ્યુનિ.કમિશ્નર તરીકે સુજિત કુમાર, રતનકંવર ગઢવીચારણને SSAમાંથી સાબરકાંઠા ક્લેકટરતરીકે મુકાયા

હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ આઇએસેસ અને આઇપીએસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 આઇએસેસ અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ આઇએએસ અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં પોરબંદર, નર્મદા, વલસાડ અને સાબરકાંઠા કલેકટરની બદલીઓ કરાઇ છે.

Advertisement

બી. જે. પટેલને ગાંધીનગરના DDO, કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર, એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર, એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર, એન. એન. દવેને વલસાડના કલેક્ટર, રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર, સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર, શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર, એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર અને લલિત નારાયણસિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement