વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ અને ટ્રેન નંબર 19217બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના સમય પત્રકમાં કેટલાક સ્ટેશનોના સમયમાં તાત્કાલિક અસરથી સુધારો કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનાઉપડવાના/આગમનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.
વેરાવળ-ભક્તિનગર અને અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચેની ટ્રેન નંબર 19218ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
બાંદ્રા ટર્મિનસ-ચાંદલોડિયા અને ભક્તિનગર-વેરાવળ સ્ટેશન વચ્ચેની ટ્રેન નંબર 19217ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ઓખા- ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવેના ગ્વાલિયર-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 10 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 14 ડિસેમ્બર, 2023ના રોજ ગોરખપુરથી ઊપડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા ગુના, શિવપુરી અને ગ્વાલિયર થઈને દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન નો સમાવેશ થાય છે.
19217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
સ્ટેશન વર્તમાન સમય સુધારેલ સમય
બાંદ્રા ટર્મિનસ પ્રસ્થાન 13.40 કલાકે પ્રસ્થાન 13.40 કલાકે
વિરમગામ 23.23/23.25 23.15/23.17
લખતર 00.13/00.14 00.01/00.02
સુરેન્દ્રનગર 00.39/00.41 00.37/00.39
મૂળી રોડ 00.59/01.00 00.47/00.48
થાન 01.18/01.20 01.06/01.08
વાંકાનેર 01.44/01.46 01.32/01.34
રાજકોટ 02.32/02.37 02.20/02.40
ભક્તિનગર 03.01/03.03 03.01/03.03
વેરાવળ આગમન 07.10 વાગ્યે આગમન 07.10 વાગ્યે