For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરેશિયસમાં શિવરાત્રિ પર્વ પહેલાં આગ: 6નાં મૃત્યુ

03:46 PM Mar 04, 2024 IST | admin
મોરેશિયસમાં શિવરાત્રિ પર્વ પહેલાં આગ  6નાં મૃત્યુ

ગઇકાલે મોરેશિયસમાં હિંદુ તહેવાર નિમિત્તે ધાર્મિક વિધિ દરમિયાન આગ ફાટી નીકળતાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું.પોલીસ કમિશનર અનિલકુમાર દિપે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, જ્યારે હિન્દુ દેવતાઓની મૂર્તિઓ દર્શાવતી લાકડાની અને વાંસની ગાડી ખુલ્લી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી ત્યારે આગ ફાટી નીકળી હતી.

Advertisement

અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે, તેમણે જણાવ્યું હતું. 8 માર્ચના રોજ શિવરાત્રિ ઉત્સવ પહેલા, યાત્રિકો ગ્રાન્ડ બેસિન તળાવની પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જે પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આ ઘટના બાબતે સોશિયલ મિડીયા પોસ્ટ દ્વારા દુ:ખ વ્યકત કર્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement