For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરિયાણાની દુકાને હવેથી મળશે તાવ-ખાંસીની દવા

03:54 PM Apr 18, 2024 IST | Bhumika
કરિયાણાની દુકાને હવેથી મળશે તાવ ખાંસીની દવા
  • કેન્દ્રએ નીમેલી સમિતિએ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચવાની યાદી બનાવી

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. શરદી, ઉધરસ અને તાવ માટે વપરાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર ઘઝઈ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ માટે પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી જે તેના પર વિચાર કરી રહી છે. ઓવર ધ કાઉન્ટર એટલે એવી દવાઓ કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય. આ નીતિ અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહેલેથી જ અમલમાં છે. હવે તેને ભારતમાં લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સમિતિ આ દિશામાં કામ કરી રહી છે. આ કમિટીએ અત્યાર સુધીમાં આ સંદર્ભમાં ઘણા સૂચનો મેળવ્યા છે.

Advertisement

જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, સરકાર ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની અછત છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પણ ઓછા છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકોને જરૂૂરી દવાઓ પણ નથી મળી શકતી. ઘણા કિસ્સાઓમાં, સમયસર જરૂૂરી દવાઓ ન મળવાને કારણે દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આ કારણોસર, સમિતિ દ્વારા ઓટીસી અંગેના સૂચનો આપવામાં આવ્યા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલ દ્વારા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે સમિતિ દ્વારા ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. કાઉન્ટર પર વેચી શકાય તેવી દવાઓની યાદી પણ આપવામાં આવી છે. ભારતમાં હજુ સુધી એવો કોઈ નિયમ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement