PMLA હેઠળ ઇડી આરોપીની સીધી ધરપકડ કરી ન શકે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટ ફરિયાદની નોંધ લે પછી ઇડી પીએમએલઅની કલમ 19 હેઠળ કોઈપણ આરોપીની ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે કહ્યું કે જો ઇડી આવા આરોપીઓની કસ્ટડી ઈચ્છે છે તો તેણે સંબંધિત કોર્ટમાં કસ્ટડી માટે અરજી કરવી પડશે.
જો કોર્ટ ઇડી ની દલીલથી સંતુષ્ટ હોય કે તેને કસ્ટોડિયલ પૂછપરછની જરૂૂર છે, તો તે કસ્ટડી આપી શકે છે.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આજે પીએમએલએ હેઠળ ધરપકડની ઇડીની સત્તાઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો.
લાઈવ લોના અહેવાલ મુજબ, કલમ 44 હેઠળ ફરિયાદના આધારે પીએમએલએની કલમ 4 હેઠળ શિક્ષાપાત્ર અપરાધની સંજ્ઞાન લીધા પછી, ઇડી અને તેના અધિકારીઓએ સીઆરપીસીની કલમ 19નો ઉપયોગ કરીને આરોપી તરીકે દર્શાવવામાં આવેલી વ્યક્તિની ધરપકડ કરવા વિનંતી કરવી જરૂરી છે.
જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ગુનાની વધુ તપાસ માટે સમન્સ પછી હાજર થયેલા આરોપીની કસ્ટડી માંગે છે, તો તેણે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે અને આરોપીની કસ્ટડી માંગવી પડશે. એટલું જ નહીં, આરોપીઓને સાંભળ્યા બાદ સ્પેશિયલ કોર્ટે કારણો નોંધ્યા બાદ અરજી પર આદેશ આપવાનો રહેશે.
અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટ માત્ર ત્યારે જ કસ્ટડી આપી શકે છે જો તેને લાગે કે ઇડી ને પૂછપરછ કરવાની જરૂૂર છે, ભલે આરોપીની કલમ 19 હેઠળ ક્યારેય ધરપકડ કરવામાં ન આવી હોય.
યુપીએ સરકારમાં પીએમએલએ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો
વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. આ કાયદો 2002માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદો મનમોહન સિંહની સરકાર દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ કાયદામાં અનેક વખત સુધારા કરવામાં આવ્યા છે. આ કાયદાનો એકમાત્ર ઉદ્દેશ્ય કાળાં નાણાંને રોકવાનો હતો. ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા પીએમએલએ કાયદાનો પ્રથમ શિકાર બન્યા. 2010 પછી, 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ સહિત ઘણા મોટા કૌભાંડો થયા અને પીએમએલએ કાયદા હેઠળ સ્ક્રૂ કડક થતી રહી. 2012માં તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમે તેમાં સુધારો કરીને તેને વધુ કડક બનાવ્યું હતું.