ભૂલથી પણ ગુલાબજળમાં આ વસ્તુઓ મિક્સ ન કરો ,સ્કીનને થઇ શકે છે નુકસાન
'
લોકો તેમની ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે ઘણું બધું કરે છે. મોંઘા ઉત્પાદનોની સાથે ઘરેલું ઉપચાર પણ અપનાવવામાં આવે છે. આમાંથી ઘણા લોકો તેમની ત્વચા પર ગુલાબજળનો ઉપયોગ કરે છે. જેથી તેમની ત્વચા ગ્લોઈંગ રહે. ઘણા લોકો ટોનર તરીકે ગુલાબજળનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય લોકો તેને મુલતાની માટી અથવા ચંદન પેક સાથે મિક્સ કરીને ચહેરા પર ફેસ પેક લગાવે છે.
ગુલાબ જળ સુંદરતા વધારવામાં મદદ કરે છે. તેને લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને સન ટેનિંગ અને ચહેરાના ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. પરંતુ દરેક પ્રકારના ફેસ પેકમાં ગુલાબજળનો ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેને જો ગુલાબજળમાં ભેળવીને લગાવામાં આવે તો ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.
જો તમે પણ તમારી ત્વચાને સ્વસ્થ બનાવવા માટે ગુલાબજળનો ઉપયોગ કરો છો, તો તમારે તેમાં કેટલીક વસ્તુઓ ભેળવવાનું ટાળવું જોઈએ. આવો જાણીએ તે વસ્તુઓ વિશે
બેકિંગ સોડા અને રોઝ વોટર
જો કે બેકિંગ સોડા અને ગુલાબજળ બંને પ્રાકૃતિક ઘટકો છે, પરંતુ આ બંનેની પ્રકૃતિને કારણે તેને ભેળવીને ન લગાવવી જોઈએ. કારણ કે તેને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રિએક્શન થઈ શકે છે. તેનાથી તમારા ચહેરા પર નીરસતા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગુલાબજળ અને લીંબુ
લીંબુ અને ગુલાબજળ બંનેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે થાય છે. પરંતુ આ બંનેને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી વિપરીત અસર થઈ શકે છે. તેમના મિશ્રણથી ત્વચાની સમસ્યાઓ અને શુષ્કતા થઈ શકે છે.
એસેન્શિયલ ઓઈલ અને ગુલાબજળ
કેટલાક લોકો ગુલાબજળમાં એસેન્શિયલ ઓઈલ મિક્સ કરીને ફેસ પર લગાવે છે પણ જો તમને કોઈ પણ એલર્જી કે અસ્થમા છે તો તમે તેનો ઉપયોગ ન કરો તે સારું રહેશે. ચહેરાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે નુકસાનદાયી સાબિત થાય છે.