તારા પતિને છૂટાછેડા આપી દે તેના બીજા માંગા તૈયાર છે, સાસરિયાને પરિણીતાને ત્રાસ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા 15- મનહર પ્લોટમાં રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ ખાતે પિયરિયે રહેવા આવી ગયેલી અંજલી ધ્રુવ જયસ્વાલ (26)એ હિંમતનગર સ્થિત પતિ ધ્રુવ સતીશભાઈ, સાસુ દક્ષાબેન સતીશભાઈ, સસરા સતીશભાઈ વસંતલાલ, દિયર શુભમ સતીશભાઈ અને નણંદ ધારા સતીશભાઈ સહિતના સાસરિયા વિરૂૂધ્ધ શારીરિક- માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
અંજલીએ ફરિયાદમાં વર્ણવેલી વિગતો મુજબ, સાત વર્ષ પહેલાં તેનાં લગ્ન હિંમતનગરના કૈલાદેવી પાર્ક, મહાવીરનગર ખાતે રહેતા ધ્રુવ સતીશ જયસ્વાલ સાથે થયા હતા, જેના થકી તેને હાલ બે વર્ષની દીકરી છે.
લગ્ન પૂર્વે જ સાસરિયાએ અંજલીને આગળ અભ્યાસ કરીને નોકરીની છૂટ આપી હતી પરંતુ લગ્નના થોડા સમય બાદ કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી પછી આગળ ભણવાની ના પાડી દીધી હતી.
સાસુ દક્ષાબેન, સસરા સતીષભાઈ, નણંદ ધારા અને દિયર શુભમ તેણીના પતિની ચડામણી કરતા કે તારી પત્નીને આગળ ભણીને નોકરી શા માટે કરવી છે? નોકરી કરવા બહાર જશે તો અવળી સંગતે ચડી જશે.આ સાંભળીને પતિ મારકૂટ કરતો.
ફરિયાદમાં ઉમેરાયું છે કે,દીકરીનો જન્મ થતાં સાસરિયાને ન ગમ્યું અને દીકરીને સાચવતા નહોતા.
દીકરીનો તમામ સરસામાન પિયરથી આવતો હતો. પતિએ પોતાને પાનની દુકાનને બદલે ધંધો શરૂૂ કરવા ઈચ્છા દાખવીને એ માટે પિયરથી પૈસા લાવવા દબાણ કર્યું હતું તથા દારૂૂ પીને મારકૂટ કરતો. નણંદ કહેતી કે તું મારા ભાઈને છુટાછેડા આપી દે,તેના માટે બીજા માગા તૈયાર છે.તને ઘરકામ કરવા જ લાવ્યા છીએ.આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપીઓની અટકાયત કરવા તપાસ શરૂ કરી છે.