ધ્રાંગધ્રા નજીક નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી
પોલીસે બન્નેની ઓળખ માટે તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા તાલુકાના કંટાવા નજીક નર્મદા કેનાલમાથી અજાણ્યા યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બંનેની લાશોને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કંટાવાથી વાવડી જતા રસ્તા પર કૈનાલમાથી લાશ મળી આવતા લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. બાદમાં સ્થાનિકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોની લાશોને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે આ અજાણ્યા યુવક અને યુવતી ક્યાંના છે ? કોણ છે ?અને શા માટે કેનાલમા પડયા ? સહીતની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કરી રહી છે.