ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

12:32 PM Jun 14, 2025 IST | Bhumika
Advertisement

જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી લોહી લુહાણ કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને જ્યાં તેની ઘનિષ્ઠ સારવાર કરવી પડી હતી, અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર મનીષભાઈ કનખરા તેમજ અન્ય અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ બનાવ બાદ સીટી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી પણ જી.જી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને આ બનાવ અંગે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

Tags :
attackcrimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement