ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયત

12:41 PM Dec 21, 2024 IST | Bhumika
Advertisement

વહેલી સવારે બનાવ બનતા પોલીસ દોડતી થઇ

Advertisement

ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગૃહમંત્રી અમીત શાહ નાં પુતળાનું દહન કરતા પોલીસ દોડતી થઇ હતી.

અને ભગવતપરા માં રહેતા ત્રણ વ્યક્તિઓ ની ગુન્હો નોંધી અટકાયત કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ ગત સવારે સાડાદસ નાં સુમારે માંડવીચોક માં ગોરાભાઇ નારણભાઇ સરવૈયા, નીતિનભાઈ બાવનજીભ઼ઇ સાંડપા તથા મનોજભાઇ સુરેશભાઈ પરમારે અમીત શાહ ની ટિપ્પણીનાં વિરોધ માં પુતળા દહન કર્યુ હતુ.

જ્યાં પુતળા દહન કરાયુ તેના થોડા અંતરે પોલીસ ચોકી આવેલીછે.અલબત પોલીસચોકી મોટાભાગે બંધ રહેતી હોય છે.પુતળા દહનથી પોલીસમાં દોડાદોડી થઇ પડી હતી.બાદ માં પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યુ કે પુતળા દહન પોલીસ ની જાણ બહાર કરાયુ હતુ.

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement