For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયા

12:16 PM May 08, 2025 IST | Bhumika
બેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયા

Advertisement

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે, અને મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરોની અટકાયત કરી લઇ રૂૂપિયા 7.33 લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જયારે ક્રિકેટના સોદાની કપાત કરનારા મોરબી જામનગર પંથકના અન્ય 16 પન્ટર ને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી પંથકના ક્રિકેટના સટ્ટાખોરો, કે જેઓ જામનગર જિલ્લામાં ચાલુ કારમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક ચલાવી રહ્યા છે, અને તે કાર જામનગર નજીક બેડ ટોલનાકા પાસેથી પસાર થઈ રહી છે.

Advertisement

જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે બેડ ગામના પાટીયા પાસે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે 36 એ.એલ. 9974 નંબરની અર્ટીગા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસે અટકાવી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી.

જે તલાસી દરમિયાન કારમાં બેઠેલા ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે કાર તેમજ 6 નંગ મોબાઈલ ફોન અને રૂૂપિયા 11,500 ની રોકડ રકમ વગેરે સહિત રૂૂપિયા 7,32,500 ની માલમતા કબજે કરી લીધી હતી. આ ઉપરાંત કારમાં બેઠેલા મોરબી પંથકના ત્રણ બુકીઓ અસલમ કાસમભાઇ પરમાર ઘાંચી, તોફીક હુસેનભાઇ પિલુડીયા પીંજારા અને સબીર અમિતભાઈ કાદરી ની અટકાયત કરી લેવામાં આવી છે, અને ત્રણેય સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની વધુ તપાસ તપાસ દરમિયાન આઈપીએલની ચેન્નાઈ અને કલકત્તા વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમાડવામાં આવી રહ્યો હતો, અને જુદા જુદા જામનગર અને મોરબી પંથકના 16 જેટલા પંટર સાથે ક્રિકેટના સોદાની કપાત કરવામાં આવતી હતી.જેથી એલસીબી ની ટુકડીએ મોરબીના અને જામનગર પંથક ઉપરાંત અલગ કે જેઓને કોડ નંબર અથવા તો ઉપનામ અપાયા હતા જે પૈકીના 13 નંબર , 19 નંબર, 11 નંબર, 47 નંબર, ત્રણ નંબર, નંબર ,કાનો મોરબી, 56 નંબર, 00 નંબર 411 નંબર, 44 નંબર ડાગલી, વીઆઈસી, અનિલભાઈ, બાપુ અને એમ એમ વગેરેને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. જેઓની મોબાઈલ નંબર ના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement