ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!

01:02 PM Nov 21, 2025 IST | Bhumika
Advertisement

સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના મહર્ષિ અરવિંદ આશ્રમમાં પણ જઈને દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ શખ્સે મીડિયાને જણાવ્યું હતું કે, મારી કોઈ માગ નથી. ઘરેથી ચાલતો આવ્યો છું. હું પહેલાં પર્સનલ ટ્યૂશન ચલાવતો હતો. મારી માતા આશ્રમમાં હતાં. બધો હિસાબ કરવાનો છે. મારે વિરોધ છે, એ હું બતાવીશ. ત્યારબાદ શખ્સ ફૂટપાથ પર જ બેસી ગયો હતો.

રાવપુરા નજીકના ઘરેથી આ શખ્સ ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. ત્યારબાદ નગ્ન હાલતમાં ચાલતા-ચાલતા અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના મહર્ષિ અરવિંદ આશ્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કર્યા હતા. તેની રોડ વચ્ચે કોઈ વ્યક્તિ સાથે મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે આશ્રમથી 4 વાગ્યાની આસપાસ પરત પણ ઘરે પહોંચી ગયા હતા.

જોકે તે ઘરે પહોંચીને કપડાં પહેર્યાં બાદ ફરી બહાર નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું નહોતું. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવા પાછળ શખ્સની કોઈ માનસિક બીમારી છે કે કેમ તે જાણવા મળ્યું નહોતું.

Tags :
crimegujarat newsTeachervadodaravadodara news
Advertisement
Next Article
Advertisement