રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જમવામાં મીઠું વધારે પડી જતાં પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

12:30 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદના નારોલમાં પતિએ પત્નીની હત્યા કરી છે. જમવામાં મીઠું વધારે નાખવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિએ પત્નીને લાતો વડે માર મારી હત્યા કરી દીધી છે. આ અંગે નારોલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

નારોલ વિસ્તારમાં જમવાની બાબતે પતિ-પત્ની વચ્ચે રકઝક થયા બાદ પતિએ પત્ની હત્યા કરી નાખી છે. આ મામલે મૃતક મહિલાના બહેને નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિની અટકાયત કરી લીધી છે. આરોપી પતિ સુનિલ ડામોરે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, માત્ર જમવામાં મીઠું નાખવા બાબતે બંને વચ્ચે બોલચાલ થઈ અને પતિએ પત્નીને લાતો મારી ઇજા પહોંચાડી ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી. બંનેના લગ્નથી 3 સંતાનો હતાં, જેમાં સૌથી મોટો દીકરો 15 વર્ષ, બીજો દીકરો 6 વર્ષ અને ત્રીજો દીકરો 3 વર્ષનો છે.

મોત બાબતે મૃતક મહિલાના પરિવારજનોએ સુનિલ ડામોર પાસે પૂછપરછ કરતા કોઇ નક્કર જવાબ આપતા ન હતા, જેથી ફરિયાદીને બહેન અનિલાના મોત બાબતે શંકા જતા સ્થાનિક લોકો પાસે પૂછપરછ કરી. નારોલ વિસ્તાર કે જ્યાં આરોપી પતિ અને મૃતકની મહિલા રહેતા હતા ત્યાં,મધ્યમવર્ગ સોસાયટીની સામે આવેલ ખુલ્લા મેદાનમા શ્રીરામ ટેનામેન્ટની સામે શાહવાડી વિસ્તારમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યુ કે, ફરિયાદીના બહેનની હત્યા કરાઇ હતી, જેનું કારણ માત્ર એ હતું કે, 22 જુલાઈએ રાતના આઠેક વાગ્યાના સુમારે જમવામાં મીઠું વધારે નાખવા બાબતે તેઓ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. જેથી, ઉગ્રતાપૂર્વક આવેશમાં આવી જતાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.

Tags :
AhmedabadAhmedabad newscrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement