સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
11:44 AM Jul 19, 2025 IST | Bhumika
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ - અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકાના અલગ - અલગ વિસ્તારો માંથી ઘઉં-1320 કિ.ગ્રા., ચોખા-590 કિ.ગ્રા., ચણા-960 કિ.ગ્રા., વજન કાટો-1, રિક્ષા-2 તથા બોલેરો પીકપ વાહન-1 એમ કુલ મળી રૂૂા.7,56,090/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement