ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો

01:30 PM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન પેટીમાંથી પરચુરણ રકમની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને વેપાર કરતાં તેમજ ગામના નદીના સામા કાંઠે આવેલા મહાદેવ મંદિર અને સુરાપુરા દાદાના મંદિરમાં સેવા પૂજા આપતા લલિતગીરી રતીગીરી અપારનાથી એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે તેઓના સુરાપુરા દાદાના મંદિર તથા મહાદેવના મંદિરને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું છે.

ગત 9 તારીખે રાત્રિ દરમિયાન તસકરો મંદિરમાં પ્રવેશ્યા હતા, અને મંદિરના દરવાજાના તાળા તોડી નિજ મંદિરમાં રાખવામાં આવેલી જુદી જુદી બે દાન પેટીઓ માંથી આશરે રૂૂપિયા 3,000 ના પરચુરણ ની ચોરી કરી લઈ ગયા નું જાહેર કર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા. અને ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈને વધુ તપાસ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsKalavadKalavad newsSmugglerstemple
Advertisement
Next Article
Advertisement