ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાળંગપુરમાં નિવૃત્ત વિસ્તરણ અધિકારીની કારનો કાચ તોડી 1.20 લાખના તફડંચી

01:51 PM Nov 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

બરવાળાના સાળંગપુર ગામે વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી પોતાની ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમ ગાડીનો કાચ તોડી ગાડીમાં રહેલા રોકડા રૂૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂૂ 1.20 લાખની ચોરી નાશી છુટ્યો હતો.

બનાવ અંગે મળતી માહીતી મુજબ વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી સુખદેવભાઈ નાગરભાઈ પટેલ પરીવાર સાથે પોતાની ગાડી લઈ સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે આવ્યાં હતાં. જેથી સુખદેવભાઈએ પોતાની ગાડી મંદિરના પાછળના ભાગે પાર્કિંગ કરીને દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને પરત ગાડી પાસે આવતા ગાડીનો કાચ તુટેલી હાલતમાં જોવા મળતા સુખદેવભાઈએ ગાડીમાં તપાસ કરતા ગાડીમા રહેલ રૂૂપિયા 1.10 લાખ રોકડા અને મોબાઈલ જેની કિમત રૂૂપિયા 10 હજારની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે સુખદેવભાઈએ બરવાળા પોલીસ સ્ટેશનમા અજાણ્યા ઈસમ વિરૂૂધ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Tags :
carcrimegujaratgujarat newstheft
Advertisement
Advertisement